Archive for December 6th, 2011

!…બ્લોગરોને આ પોસ્ટ દિલમાં ભળે તો…!


!…બ્લોગરોને આ પોસ્ટ દિલમાં ભળે તો…! 

ઝરણુંમાં ઝરણું ભળે તો

સરોવર બની જાય,

માનવમાં મહેક ભળે તો

માનવ પણ દેવ બની જાય,

શિક્ષકમાં સ્નેહ ભળે તો

શિક્ષક પણ પ્રભુ બની જાય,

કાર્યમાં નિષ્ઠા ભળે તો

કર્મયોગી બની જાય,

અજ્ઞાનીમાં જ્ઞાન ભળે તો

 જ્ઞાનનું સરોવર બની જાય,

વાણીમાં મીઠાશ ભળે તો

તો તે આકાશવાણી બની જાય,

રચનામાં “ આપના સૂચન ” ભળે તો

તો અમ અજ્ઞાનીને જ્ઞાન મળી જાય,

બ્લોગરોને આ પોસ્ટ દિલમાં ભળે તો

તો અમ જેવાને કોમેન્ટ મળી જાય. 

+++++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર બદલ ગુગલ અને નેટ જગતનો હું ઋણી છું. )

ડો.કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯