મોત
નિત્ય છે, દિવ્ય છે, જાણતા પણ નથી,
મોતની, વાતને છેડતા પણ નથી.
કોણ છો? કેમ આવ્યા? જશો ક્યાં તમે?
અંત વેળા તમે બોલતા પણ નથી.
કોણ છોડી જશે દેહને એક દિ,
દૂત યમના કદી પૂછતા પણ નથી.
સ્વર્ગ કે નર્કના વ્હેમમાં ના રહો,
જે અહીં ભોગવો, નોંધતા પણ નથી.
બ્ર્હમને પામવા જાણવો ખૂદને,
‘સાજ’ તો અન્યને ખોળતા પણ નથી.
-‘સાજ’ મેવાડા.
છંદઃ- ગાલગાx૪
હું જાણું છું કે આ રચના મારા મિત્રોને ના પણ ગમે, છતાં જે નિત્ય, સત્ય અને અનિવાર્ય છે એ મોત વિષે લખવા હિંમત કરી છે. મને જે સમજાયું તે ટૂંકમાં આ ગઝલમાં કહેવા પ્રેરાયો છું. એ જાણવું અને સમજવું કે આત્મા અમર છે અને એ પ્રભૂનો જ અંશ છે, પછી મોતનો ડર રહેતો નથી. આ વિષે મેં પહેલાં પણ ગીત કાવ્ય લખ્યાં જ છે, જે પણ આપસૌ આ બ્લોગમાં વાંચી શકશો.
(૧) https://venunad.wordpress.com/2009/11/17/ (૨) https://venunad.wordpress.com/2009/11/20/


